ધ સિક્રેટ ઑફ શિલેદાર્સ
આદિત્ય સરપોતદાર દિગ્દર્શિત(મુંજીયા ફિલ્મ નિર્દેશક) અને ગૌરવ અમલાણી, આશિષ વિદ્યાર્થી, સાઈ તમહાનકર, રાજીવ ખંડેલવાલ અભિનીત આ વેબસિરીઝ મરાઠી નોવેલ ‘પ્રતિપાશ્ચંદ્ર‘ આધારિત છે. વાર્તા મૂળભૂત રીતે શિલેદાર્સ નામક ગુપ્ત જૂથને આધારિત છે જેના જીવનનો ધ્યેય શિવાજી મહારાજના ખજાનાને સુરક્ષિત રાખવાનો છે. એક પછી એક રસપ્રદ પ્રસંગોની શ્રેણી ગૂઢ રહસ્યો ઉજાગર કરે છે અને અંતમાં ખજાનાની ખોજ જડે છે. આ વાર્તામાં પહેલું તો ખજાનાની સાચી વ્યાખ્યા અને બીજું જીવનનો ખરો ઉદ્દેશ્ય, આ બે બાબતો સચોટ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.
"ધ સિક્રેટ ઑફ શિલેદાર્સ સિરીઝ માણવા ને જાણવા જેવી જરૂર છે, આ પ્રકારનું ઇન્ફોટેનમેન્ટ મીડિયા કોન્ટેન્ટ જોવાથી ભારતીય સાહિત્ય અને ઇતિહાસમાં ખાંખાંખોળા કરવાની ચાનક ચડાવી દે તેવી આ સિરીઝ છે."
સિરીઝનો ભાવ હૃદયસ્પર્શી છે. તેનો મુખ્ય ખ્યાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે જીવનમાં આપણી વાસ્તવિક ફરજો શું છે? અને આપણે તેને ખરેખર કઈ રીતે પૂર્ણ કરીએ છીએ? જો તમે રોમ-કોમ ને ક્રાઇમ- થ્રીલરથી કંઇક હટકે જોવા માંગતા હોય તો ધ સિક્રેટ ઑફ શિલેદાર્સ સિરીઝ ચોક્ક્સપણે જોવા જેવી, ચૂકવા જેવી નહિ...
![]() |
| ખાસ - ખબર E-NEWS |



Comments
Post a Comment